જેલના ઇન્ચાર્જ અધિકારીએ અમુક પ્રસંગોએ હુકમનો અમલ નહી કરવા બાબત - કલમ:૨૬૯

જેલના ઇન્ચાર્જ અધિકારીએ અમુક પ્રસંગોએ હુકમનો અમલ નહી કરવા બાબત
કલમ ૨૬૭ હેઠળ જેના સબંધમાં હુકમ કરવામાં આવ્યો હોય તે કોઇ વ્યકિત નીચેના પ્રકારની હોય ત્યારે જેલના ઇન્ચાર્જ અધિકારી કોટૅના હુકમનો અમલ કરશે નહી અને તે રીતે અમલ ન કરવાના કારણોનુ નિવેદન તે કોટૅને મોકલી આપશે
(ક) માંદગી કે નબળાઇને કારણે જેલમાંથી જેને ખસેડી શકાય તેમ ન હોય અથવા
(ખ) જે ઇન્સાફી કાર્યવાહી માટે મોકલવાના હુકમ હેઠળ અથવા ઇન્સાફી કાયૅવાહી કે પ્રાથમિક પોલીસ તપાસ થતા સુધી જેને જેલમાં રાખવા
મોકલાયેલ હોય અથવા
(ગ) હુકમનુ પાલન કરવામાં અને જે જેલમાં તેને કેદ કે અટકાયતમાં રાખવામાં આવેલ હોય તેમા ફરી મોકલવામાં જે સમય વીતે તે પહેલા જેને કસ્ટડીમાં રાખવાની મુદત પુરી થઇ જાય તેમ હોય અથવા
(ઘ) કલમ ૨૬૮ હેઠળ રાજય સરકારે કરેલો હુકમ જેને લાગુ પડતો હોય પરંતુ જેલથી પચીસ કિલોમીટર વધુ દુર ન હોય તેવા સ્થળે પુરાવો આપવા માટે તે વ્યકિતની હાજરીની જરૂર હોય ત્યારે જેલના ઇન્ચાર્જ અધિકારીએ ખંડ (ખ)માં જણાવેલ કારણો એવી રીતે અમલ કરવાનુ બંધ રાખવુ જોઇશે નહી